દિયોદર ના પાલડી ગામે વીજળી પડવા થી બે પશુ ના મોત

દિયોદર,

ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા માં મેઘ મન મૂકી ને વરસી રહ્યા છે. જેમાં દિયોદર તાલુકા માં પણ ભારે વરસાદ છે ત્યારે દિયોદર તાલુકા ના પાલડી મીઠી ગામે વીજળી પડવા થી બે ભેંસ ના મોત થયા છે. પાલડી મીઠી ગામે રહેતા દરજી નાગજીભાઈ ખાનાભાઈ ની પોતાના માલિકી ની બે ભેંસ આંગણે બાંધેલ હતી.

જેમાં એકાએક વરસાદ અને વીજળી પડતા બે ભેંસ ના મોત નિપજ્યા હતા. જેમાં એકાએક બે ભેંસ ના મોત થતા પશુપાલન પર નિર્ભરીત આ પરિવાર ને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment